હાર્ટએટેક અટકાવવા આ પાંદડાનું સેવન રામબાણ ઈલાજ

Spread the love

પરિવર્તન પામેલી જીવનશૈલી અને માણસોને વધતું જતું માનસિક નુકશાન. આ કારણોસર હાર્ટએટેકની સમસ્યા વધતી જાય છે. ઘણીવાર તો હાર્ટએટેકના કારણે તમે અકાળે મૃત્યુ થતા પણ જોયું હશે. એટલું જ નહિ પરંતુ યુવાનીમાં પણ હાર્ટએટેક જેવી સમસ્યા થાય છે. કહેવાય છે કે હાર્ટએટેક સામાન્ય હોય તો માણસ યોગ્ય સારવાર અપાતા બચી જાય છે. પરંતુ પછી તેને આખી જિંદગી ખુબ જ ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને એક એવું વૃક્ષ જણાવશું કે જો કોઈને એકવાર હાર્ટએટેક આવ્યો હોય ત્યારબાદ તે માત્ર તેના પાંદનું સેવન કરશે તો પણ તેને આખી જિંદગીમાં ક્યારેય હાર્ટએટેક નહિ આવે. કારણ કે આ પાંદડા ૯૯% હાર્ટ બ્લોકેજને ઠીક કરી દે છે. મિત્રો અમે જે વૃક્ષની વાત કરી રહ્યા લોકો તેની પૂજા વર્ષોથી કરતા આવ્યા છે. હા મિત્રો આપણા માટે સૌથી સારો અને મોટો ઓક્સિજનનો સ્ત્રોત એવું પીપળાનું વૃક્ષ.

મિત્રો પીપળાના પંદર પાંદ લઇ લો. પાંદડા એકદમ લીલા અને વિકસીત હોવા જોઈએ. દરેક પાંદડાનો થોડો ઉપરનો ભાગ અને નીચેનો એટલે કે બંને છેડાનો ભાગ કાતરની મદદથી કાપીને અલગ કરી દો. પાંદડાની વચ્ચેનો ભાગ પાણીથી સાફ કરી દો. હવે એક ગ્લાસ પાણી લો તેમાં આ પાંદડા નાખી દો અને તેને ધીમા તાપે ગરમ કરવા ગેસ પર મૂકી દો. જ્યારે પાણી ઉકળીને 1/3 રહે ત્યારે ગેસ બંધ કરી દો અને ત્યારબાદ તે પાણીને એક સ્વચ્છ કપડાથી ગાળી લો. ગાળ્યા બાદ તેને કોઈ ઠંડી જગ્યા પર રાખી દો. જેમ કે આપણા ઘરમાં ઠંડી જગ્યા હોય તો તે છે આપણે જ્યાં માટીનું માટલું પાણીથી ભરેલું રાખતા હોય તો ત્યાં તમે રાખી શકો. હવે તમારે આ મિશ્રણને ત્રણ ભાગમાં વહેંચી દેવાનું છે અને ત્યારબાદ દિવસ દરમિયાન ત્રણ કલાકના અંતરે તેનું સેવન કરવાનું છે. આ દવાનું સેવન તમારે હાર્ટએટેક આવ્યાના થોડા સમય બાદ શરૂ કરવાનું છે અને પંદર દિવસ સુધી સતત આ સેવન ચાલુ રાખવાનું રહેશે. આટલું કર્યા બાદ હાર્ટએટેક આવવાની સંભાવના રહેતી નથી. આ દવા લેતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ દવા તમારે સવારે 8 વાગ્યે ત્યારબાદ સવારના 11 વાગ્યે અને ત્યાર બાદ બપોરે બે વાગ્યે આ રીતે સેવન કરવાનું છે. આ દવા એકદમ ખાલી પેટે નથી લેવાણી પરંતુ તમારે આ ઔષધી લેતા પહેલા સુપાચ્ય ખોરાક અથવા તો હળવો નાસ્તો કર્યા બાદ જ આ ઔષધિનું સેવન કરવું. તમે જે પંદર દિવસ આ પ્રયોગ કરો છો તે પંદર દિવસ તમારે તળેલો ખોરાક અને ભાત ખાવાનું ટાળવાનું રહેશે. આ ઉપરાંત જો તમે મીઠા વાળા પાણીના કોગળા વગેરે કરતા હોવ તો આ પંદર દિવસ દરમિયાન તે ન કરવા. આ ઉપરાંત પપૈયું, મેથી દાણા, આંબળા, મોસંબી, રાત્રે પલાળેલા કાળા ચણા, કીસમીસ, દહીં, છાસ વગેરેનું સેવન અવશ્ય કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com