શૌચાલય બન્યાં શોભાના ગાંઠીયા સમાન

Spread the love

GJ-18 એવું ગુજરાતનું પાટનગર કહેવાય છે ત્યારે ય્ત્ન-૧૮ ને મહાનગરપાલિકાનો દરજ્જાે મળ્યો છે. ભારતના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પોતે કરોડો રૂપિયાની ગ્રાંટો GJ-18 નાં વિકાસ માટે બે હાથે નહિ પણ ચાર હાથે મોકલાવી રહ્યાં છે ત્યારે જે ગ્રાન્ટ કેન્દ્રની ગુજરાત સરકારને મળે છે તે પૂરેપૂરી મનપાને સુપ્રત કરવામાં આવે છે ત્યારે અહીંયા લાખના બાર હજાર થતાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.વિકાસના કામો પાછળ આંધળી દોટ મુકયા બાદ મેંટેનન્સનાં અભાવે કે પછી કોન્ટ્રાકટરની અણ આવડતના અભાવે ઘણી જગ્યાએ તાળા મારવાનો વારો આવ્યો છે ત્યારે શૌચાલય મુક્ત GJ-18ની વાતો કાગળ ઉપર રહી હોય તેવું લાગી રહ્યું છે. GJ-18 ખાતે આવેલા મહાત્મા મંદીર પાસે બનેલી ખ્યાતનામ હોટલ પાસે લોકો જાહેરમાં શૌચાલયો કરતાં નજરે પડી રહ્યા છે ત્યારે સેકટર-૧૬ ખાતે પાટનગર યોજના પાછળ આવેલ શૌચાલયમાં તાળા ઝૂલી રહ્યા છે અને સે-૧૬ ખાતે જાહેરમાં કચરો લોકો નાખી રહ્યા છે ત્યારે જે ડસ્ટબિન હોય તેમાં કચરો તે પ્રમાણે નાંખવો જાેઈએ ત્યારે જૈવિક કચરાથી લઈને તમામ કચરો એક જ પેટીમાં અને લોકો દ્વારા જાહેરમાં ઠલવાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ શૌચાલયમાં જઈએ તો શૌચાલયમાં અસહ્ય ગંદકી અને શૌચાલયનાં વોશબેશિંગથી લઈને ટોયલેટ જવાના ટબ પણ તૂટી ગયા છે ત્યારે લાખ્ખો નહિ પણ,કરોડો ખર્ચવા છતાં અને જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેનું કામ પણ લહરિયા જેવું લાગી રહ્યું છે ત્યારે કમિશનર સાહેબ એકવાર તમામ શૌચાલયોની માહીતી મેળવીને તપાસ કરાવો, તેમાં મોટાભાગના બંધ હાલતમાં જાેવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com