ગુજરાત રાજ્યમાં ૯ મી સપ્ટે. શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

Spread the love

આ અવસર નો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા મંડળ ની ઓફિસ નો સંપર્ક અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબ સાઇટનો સંપર્ક કરવો

અમદાવાદ

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, સભ્ય સચિવ રાહુલ ત્રિવેદીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ ૦૯ મી સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવાર ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત નુ આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત નો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રીમતી સુનિતા અગરવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ એન. વી. અંજારિયા દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપેલ છે. આ લોક અદાલત માં રાજ્ય ના કોઈ પણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત ના વળતર ના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લાગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિક ને લગતી તકરાર,માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકાર ના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે.આ અવસર નો લાભ લેવા નજીક ની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા મંડળ ની ઓફિસ નો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ની વેબ સાઇટનો સંપર્ક કરવો. લોક અદાલત એટલે લોકો ની અદાલત ” ના કોઈ નો વિજય ના કોઈ નો પરાજય”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com