રાજકોટ ખાતે 60 હજાર ચોરસ ફૂટ જેટલુ વિશાળ કાર્યાલય ભાજપનું બનવા જઈ રહ્યું  છે

Spread the love

UNITED NEWS OF INDIA

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર વિભાગના કાર્યાલયનું ઈ.ખાતમુહૂર્ત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તો ગોધીનગર ખાતેથી ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમણે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જનસંઘના સમયે રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડની સામે એક નાનકડા રૂમમાં કાર્યાલય હતું. કાર્યકર્તાઓના અથાક પરિશ્રમથી આજે ભાજપાનો વ્યાપ વધી રહ્યો છે, આપણે વિલાની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી બન્યા છીએ ત્યારે આજે રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર ઝોનનું 60 હજાર ચોરસ ફૂટ જેટલું વિશાળ કર્યાલય બનવા જઈ રહ્યું છે, ત્યારે હું રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ભાજપાના તમામ કાર્યકર્તાઓને નવા કાર્યાલયના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવું છું.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કાર્યકર્તા કાર્યાલય, કોષ અને કાર્યક્રમ સંગઠનની વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ ચાર બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આ ભવ્ય કાર્યાલયની દીવાલોનું મહત્વ નથી પણ કાર્યાલયની અંદર ચાલતી પ્રવૃત્તિઓ સર્વસ્પર્શી, સર્વવ્યાપી બને, પ્રજાહિત માં કાર્યકર્તાઓ વધુ સુદ્રઢ રીતે પોતાનું યોગદાન આપે તે પ્રકા ર આયોજન કરવામાં આવે અને ભવિષ્યમાં રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્રનું આ નવીનતમ કાર્યાલય ભાજપા સંગઠનનું પાવરહતઉસ બની લોકસેવા અને રાષ્ટ્રસેવાના કાર્યોને વધુ ને વધુ વેગ આપશે ભાજપ એકમાત્ર રાજકીય પાર્ટી છે જેમાં કાર્યકર્તાઓને એકબીજા પ્રત્યે પ્રેમ લાગણી અને આમીયતા છે, અને સૌ એક પરિવારની જેમ એક બનીને રાષ્ટ્રહિતના કાર્ય કરે છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવા કાર્યાલયનું નિર્માણ બાદ નવીનતમ કાર્યપદ્ધતિ સાથે કાર્ય કરીને વિવિધ સંગઠનલક્ષી કામગીરી વધુ વેગવંતી થશે, નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓનું નિર્માણ થશે, ભાજપાનો વ્યાપ વધુ વધશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકર્તાઓને રાજકોટ મતનગર અને સૌરાષ્ટ્ર વિભાગના નવા કાર્યાલયના નિર્માણ માટે શુભેચછા પાઠવતા જણાવ્યું હતું કે, આપણે એવો સમય પણ જોવો છે કે કાર્યકર્તાઓના ઘરમાં રૂમમાં પક્ષનું કાર્યાલય ચાલતું હતું આજે લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ, ત્યાગ અને બલિદાનના છા રહો ભાજપા આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. આજે રાજકોટ ખાતે અદ્યતન સુવિધા સાથેના ભવ્ય કાર્યાલયનું નિમીણ થવા જઇ રહ્યું છે ત્યારે હું સૌ વરિષ્ઠ આગેવાનો અને સિનિયર કાર્યકર્તાઓ કે જેમણે કઠિન પરિસ્થિતિ નો સામનો કરીને ભાજપાની વિચારધારાનો વ્યાપ વધારી એક વૃક્ષની જેમ પાટીનો ઉછેર કર્યો તે સૌને હું અભિનદન પાઠવું છું. સી આર પાટીલે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને તમામ સુવિધાઓથી સજજ આ નવીન કાર્યાલય આગામી સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભાજપાની કામગીરીમાં કડીરૂપ સાબિત થશે સી આર પાટીલે સુનિયોજિત રીતે કાર્ય કરી અને નવીન કાર્યાલયનું બાંધકામ નક્કી કરેલ સમય મર્યાદા કરતા વલ્લો પૂર્ણ કરવા પણ આહવાન કર્યું હતું. આ ઉપરાંત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા કાર્યાલયમાં વિસ્તારના તમામ કાર્યકર્તા ઓનો ડિજિટલ ડેટા બનાવવાની બાબત ઉપર પણ અધ્યક્ષે ભાર મૂક્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com