હર ઘર તિરંગા 2.0 અભિયાનથી મળેલાં ડેટાની સુરક્ષા પર સવાલ ઊભા થયા, સરકારે હજી આ ડેટા ડીલીટ કર્યો નથી

Spread the love

સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે સરકારે હર ઘર ત્રિરંગા ઝુંબેશની શરૂઆત કરી હતી અને તે અંતર્ગત સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવાની પહેલ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ જ દેશના નાગરિકોને તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવા માટે અપીલ કરી હતી. આ વર્ષે આ અભિયાન હર ઘર તિરંગા 2.0 નામથી ચલાવવામાં આવ્યું હતું.

હવે આ અભિયાન હેઠળ એકત્રિત કરવામાં આવેલા ડેટાની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. લોકોની ગોપનીયતાના મુદ્દા ઉઠાવનારાઓએ સરકાર પાસે માંગ કરી છે કે આ તમામ ડેટા વેબસાઈટ પરથી ડિલીટ કરવામાં આવે જેથી કરીને તે 8.8 કરોડ લોકોનો ડેટાનો ખોટો ઉપયોગ ન થઈ શકે.

એક આરટીઆઈના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે અભિયાન પૂરું થતાં જ આ ડેટાને કાઢી નાખવાનો હતો, પણ સરકારે હજી આ ડેટા ડીલીટ કર્યો નથી. આ ડેટામાં સેલ્ફી-ફોટો અપલોડ કરનારનું નામ, ફોટો અને જિયો ટેગ એટલે કે લોકેશન પણ સામેલ છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશને વેબસાઈટમાં ઘણી ખામીઓ હોવાનું કહીને આ તમામ ડેટા ડીલીટ કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય સમક્ષ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com