કેદારનાથનું મંદિર એક હજાર વર્ષથી વધુ જૂનું, ભગવાન શિવના પીઠની પૂજા,”ગર્ભ-ગૃહ”માં ઘીનો અભિષેક ,શિવલિંગનો આકાર સૌથી અલગ કેમ ?

Spread the love

ચારધામ યાત્રા ભાગ-૫

સ્ટોરી : પ્રફુલ પરીખ

નેપાળ પશુપતિનાથ મંદિરમાં શંકરના આગળના ભાગની પૂજા, તુંગનાથ ખાતે હાથ, રુદ્રનાથ ખાતે ચહેરો, મદમહેશ્વર ખાતે પેટ(નાભી) અને કલ્પેશ્વર ખાતે માથા સાથેના તાળાઓ દેખાયા:જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ, દોષ,પાપ, બધા નાશ પામે છે

ભીમશીલા

2013માં કેદાર ઘાટીમાં આવેલ પુરમાં મંદિર અવિચલ રહ્યું તેનું કારણ છે કે મંદિરની પાછળ એક શીલા છે જેને ભીમશીલા કહેવાય છે તેને મંદિરની રક્ષા કરી હતી. તેથી મંદિર સુરક્ષિત અને ચમત્કારિક રૂપથી બચી ગયું.

અમદાવાદ

ચારધામ યાત્રા કી જય : ચારધામ યાત્રામાં ટેમ્પો ટ્રાવેલના ચાલક મજાકિયા અને મૂડી સ્વભાવ એવા વિમલકુમારજીએ દિલ્હીથી લઈ કેદારનાથ સુધી હિલ સ્ટેશનના પહાડીમાં વરસાદ અને અકલ્પનીય રસ્તાઓ વચ્ચે જવાબદારી પૂર્વક અને સુરક્ષિત રીતે વાહન ચલાવી શ્રીકૃષ્ણની જેમ સારથી બનીને અમારી ચારધામ યાત્રા કરાવી હતી. યાત્રા દરમિયાન હિલ સ્ટેશનના પહાડી વિસ્તારમાં ઝાડમાંથી ફળફળાદી વસ્તુઓ તોડી અમને ખવડાવી આનંદમય સફર બનાવી હતી ઉપરાંત દરેક ધામમાં જરૂરી મહાત્મયનું માર્ગદર્શન આપી અમને માહિતી પૂરી પાડી હતી. ઉતરાખંડ સરકાર દ્વારા ઘોડા અને પાલખીના ફિક્સ ભાવ હોય છે જેની રસીદ લાઈનમાં ઊભા રહીને લેવી પડે છે . કેદારનાથમાં 3200 રૂપિયા ઘોડા ઉપર બેસવાના ફિક્સ ભાવ હોય છે જ્યારે કેદારનાથમાં પાલખી ના 7000 રૂપિયા ફિક્સ ભાવ હોય છે. ઘોડા અને પાલખી માટે અગાઉથી રજિસ્ટ્રેશન નોંધાવી રસીદ પણ મેળવી શકો છો. એટલે કે ફક્ત રજિસ્ટર્ડ ઘોડા-ખચ્ચર અને પાલખીના ચાલકોને જ ભાડે રાખો. કારણ કે તેમની કિંમતો નિશ્ચિત છે, તેમની સાથે સોદાબાજી કરવાની જરૂર નથી જો સોદાબાજી કરશો તો વધારે કિંમત ચૂકવવી પડશે અને ટલ્લે ચડી જશો.ચારધામ યાત્રા બરફથી ઢંકાયેલા ઉત્તરાખંડના સુંદર પહાડો અને ગાઢ જંગલોની વચ્ચે થાય છે. મુસાફરી દરમિયાન બદલાતા હવામાનને કારણે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલ ચઢાણ અને ટ્રેકિંગનો સમાવેશ થાય છે. તેથી, તમારી સાથે શરીરને ઊર્જા આપતી ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇમર્જન્સી મેડિકલ કીટ સાથે રાખો. ઉત્તરાખંડ સરકારની સત્તાવાર વેબસાઈટ પરથી પૂજા, દાન અને દર્શન કરી શકો છો. અને ગર્ભ ગૃહ ના દર્શન રોજ રાત્રે 10 થી સવારના 04:00 વાગ્યા સુધી થાય છે પરંતુ તેના માટે  લાઈનમાં ઊભા રહીને કાયદેસરની રસીદ લેવી પડે છે જેની કિંમત 5500 હોય છે જેમાં પાંચ વ્યક્તિ ગર્ભ ગૃહ ની પૂજા કરી શકે છે. અને 200 થી 250 રસીદ જ લિમિટેડ નીકળે છે એટલે કે રોજના 1250 વ્યક્તિઓ જ ગર્ભ ગૃહના દર્શન નો લાભ લઈ શકે છે.

ગરુરચટ્ટીથી જેમ જેમ નજીક આવો છો તેમ તેમ માત્ર અડધો કિલોમીટર આગળ વધવા પર ભવ્ય શ્રી કેદારનાથ મંદિર દેખાય છે. બરફથી ઢંકાયેલા સફેદ પર્વતોની અદભૂત પૃષ્ઠભૂમિ સાથે, મંદિર એક મોહક દૃશ્ય રજૂ કરે છે. તેની ચારેબાજુ શાંતિ અને પવિત્રતાની આભા છે. અહીં, અપવિત્રને પવિત્ર કહેવામાં આવે છે. કેદારનાથનું મંદિર એક હજાર વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે. મંદિર તેની શૈલી અને સ્થાપત્યમાં ભવ્ય છે. તે બરફીલા શ્રેણીમાંથી જમણા ખૂણા પર બહાર નીકળતી મોરૈનિક રિજ પર બનેલ છે. મંદિરમાં પૂજા માટે “ગર્ભ-ગૃહ” છે અને યાત્રાળુઓ અને મુલાકાતીઓની એસેમ્બલી માટે મંડપ છે.

કેદારનાથનો ઇતિહાસ એવો છે કે પૌરાણિક માન્યતાઓ અનુસાર કુરુક્ષેત્રના મહાન યુદ્ધ પછી પાંડવોએ તેમના પોતાના સગા-સંબંધીઓની હત્યા કરવા બદલ દોષી અનુભવ્યું હતું. તેમને તેમના મુક્તિ માટે ભગવાન શિવના આશીર્વાદની જરૂર હતી. ભગવાન શિવ ઇચ્છુક ન હતા અને તેથી પાંડવો વારંવાર દૂર જતા રહ્યા તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવ પ્રાણીઓની વચ્ચે ગયા જેથી કોઈ તેમને ઓળખી ન શકે. પાંડવોને આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે. એટલા માટે ભીમ પોતાના પગ બે પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભો રહ્યો. પછી બધાં પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા.પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતરધ્યાન થવા લાગ્યા ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા, પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત કરી દીધા. ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પુજવામાં આવે છે.ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતાં જ આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યાં. આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંધ (પાછળનો ભાગ) પકડી લીધો, જે અહીં ખડક બનીને બેઠો થઈ ગયો. એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે. ભગવાનના બાકીના ભાગો અન્ય ચાર સ્થળોએ ફરીથી દેખાયા. તુંગનાથ ખાતે હાથ, રુદ્રનાથ ખાતે ચહેરો, મદમહેશ્વર ખાતે પેટ(નાભી) અને કલ્પેશ્વર ખાતે માથા સાથેના તાળાઓ દેખાયા હતા. કેદાર સંઘ અનુસાર ઋષિકેશના મહારાજ કમલ સિંઘે જણાવ્યું હતું કે પશુપતિનાથ ખાતે માથું, કેદારમાં પીઠ, જમણો પગ અમરનાથ અને ડાબો પગ મક્કામાં હોવાનું પણ કહેવાય છે.કેદારનાથમાં ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજાય છે. ભગવાન શિવના બાર “જ્યોર્તિલિંગ”માંથી એક છે. “નંદી”, દૈવી બળદ. આ મંદિરની અંદરની દિવાલો છે સાથે ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલ છે. જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ, દોષ,પાપ, બધા નાશ પામે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહ ત્યાગ કર્યો હતો અને અહીં તેમની સમાધિ છે. મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ, 80 ફૂટ પહોળું અને તેની દિવાલ 12 ફૂટ મોટી છે. 2013માં કેદાર ઘાટીમાં આવેલ પુરમાં મંદિર અવિચલ રહ્યું તેનું કારણ છે કે મંદિરની પાછળ એક શીલા છે જેને ભીમશીલા કહેવાય છે તેને મંદિરની રક્ષા કરી હતી. તેથી મંદિર સુરક્ષિત અને ચમત્કારિક રૂપથી બચી ગયું.

શું ભવિષ્યમાં કેદારનાથ ધામ લુપ્ત થઈ જશે ?

પ્રસેનજીતકુમાર સનાતનીનાં કહેવા મુજબ કેદારનાથ એક પ્રાકૃતિક શિવલિંગ છે, ભગવાન વિષ્ણુના અવતારોની તીવ્ર તપસ્યાથી પ્રસન્ન થઈને આ શિવલિંગ પર કાયમ નિવાસ કરવાનો આશીર્વાદ મળ્યો હતો અને ત્યારથી તે કેદારનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે યુગનો ઈતિહાસ અજ્ઞાત છે, પરંતુ એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ તેનું નિર્માણ કર્યું હતું, પરંતુ તે પછી આઠમી સદીમાં, આદિ ગુરુ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો સદીથી 17મી સદી સુધી આ સ્થળે ભારે હિમવર્ષા થઈ હતી અને આ મંદિર 400 વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યું હતું, ફરી 17મી સદીથી યાત્રા શરૂ થઈ હતી, શિયાળામાં મંદિરની અંદરની સફાઈ કરવામાં આવી હતી અને એક સળગતો દીવો પાછળ છોડી દેવામાં આવ્યો હતો. આ માટે છ મહિના મંદિરના દરવાજાને બંધ કરીને તાળું મારવામાં આવે છે, પછી જ્યારે છ મહિના પછી ફરીથી મંદિરનો દરવાજો ખોલવામાં આવે છે, ત્યારે તે જ રીતે દીવો સળગતો જોવા મળે છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી. મંદિર, 2013 ની કુદરતી આપત્તિમાં. આ મંદિરને કોઈ નુકસાન થયું ન હતું અને જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે પુરાણોમાં કરવામાં આવેલી આગાહી મુજબ, કેદારનાથ ધામ ભવિષ્યમાં અદૃશ્ય થઈ જશે એક નવો ધામ બનાવવામાં આવશે જે ભવિષ્યાદ્રી તરીકે ઓળખાશે.

સર્વ પ્રથમ યમુનોત્રીના દર્શન કેમ?

એક માન્યતા અનુસાર જો તમે યમુનોત્રીના દર્શન પહેલાં ગંગોત્રી, કેદારનાથ કે બદરીનાથના દર્શન કરી લો છો તો તમને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી. કારણ કે, વાસ્તવમાં આ યાત્રા એ વ્યક્તિને ચાર લક્ષ્ય તરફ ગતિ કરાવી અંતે પરમાત્મામાં એકરૂપ કરે છે.વ્યક્તિના અંતિમ ગંતવ્યનું પ્રથમ પગરણ યમુનોત્રીથી જ શરૂ થાય છે. અલબત્ આ માન્યતા સાથે એક રોચક દંતકથા પણ જોડાયેલી છે.યમરાજ અને શનિદેવ બંન્ને યમુનાજીના ભાઈ છે. તો, પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના શિષ્ય હોઈ હનુમાનજી પણ યમુનાજીને તેમની બહેન માને છે. કહે છે કે એકવાર ત્રણેવ ભાઈ યમુનાજીને • મળવા યમુનોત્રી આવ્યા. ત્યારે યમુનાજીએ તેમને પૂછ્યું કે તેઓ તેમના માટે શું લાવ્યા છે ? દંતકથા એવી છે કે તેસમયે ત્રણેય ભાઈઓ એ જ બહેન યમુનાને ચાર ધામમાં સર્વ પ્રથમ પૂજાવાનું અને અખાત્રીજે સર્વ પ્રથમ યમુનોત્રીના જ કપાટ ખુલવાનું વરદાન આપ્યું.માન્યતા અનુસાર આ વરદાનને લીધે જ સર્વ પ્રથમ યમુનોત્રી ધામના દર્શન કરવાનો મહિમા છે.

બીજા દર્શન ગંગોત્રી ધામ

આ ધામમાં ભક્તો ગંગા નદીનું સાનિધ્ય મેળવે છે.ઉત્તરાખંડની માન્યતા અનુસાર ગંગા ભક્તોને ‘જ્ઞાન’ની પ્રાપ્તિ કરાવે છે. ભક્તિમાં હવે જ્ઞાન પણ ભળે છે. અને ભક્તો સમજ સાથે પ્રભુ પ્રાપ્તિ માટે આતુર બને છે.

ત્રીજા દર્શન કેદારનાથ ધામ

કેદારનાથ ધામ ભક્તોને વૈરાગ્ય તરફ વાળે છે. આ વિકટ યાત્રા છે અને પ્રભુને પામવા માટે સંડ ત્યાગ જરૂરી છે ! કંઈક એવી જ ભાવના સાથે ભક્તો વિશ્વના સૌથી ઊંચા જ્યોતિર્લિંગના દર્શનની યાત્રા આરંભે છે.

ચોથા દર્શન બદરીનાથ ધામ

નાના ચાર ધામમાં અંતિમ દર્શન બદરીનાથ ધામના થાય છે. વાસ્તવમાં બદરીનાથ ધામ એ મુક્તિપ્રદા તરીકે પણ ઓળખાય છે. મુક્તિપ્રદા એટલે કે મુક્તિની, મોક્ષની પ્રાપ્તિ કરાવનારું જીવ માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ જ છે. જેના બાદ જીવ સ્વયં પરમતત્વમાં એકરૂપ થઈ જાય છે.

યાત્રામાં શું કરવું અને શું ન કરવું

• મુસાફરી કરતા પહેલા નોંધણી ફરજિયાત

• રજીસ્ટ્રેશનમાં સાચો મોબાઈલ નંબર દાખલ કરો.

• ધામમાં દર્શન ટોકન મેળવવો

• પ્રવાસ દરમિયાન પર્યાપ્ત ઊની કપડાં, છત્રી, રેઈનકોટ સાથે રાખો.

• શરદી,તાવ, ઉલટી, એસિડિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી દવા રાખો

*હવા પાતળી થઈ જવાથી ઓક્સિજનની કમી ના લીધે ગોળી અથવા રૂમાલમાં કપૂર નાખી સુંઘવાનું રાખો

• મુસાફરીના માર્ગમાં વિવિધ સ્ટોપ પર આરામ કર્યા પછી પ્રસ્થાન કરો, જેથી વાતાવરણ અનુકૂળ બને.

• જો તમને અસ્વસ્થતા લાગે તો મુસાફરી કરવાનું ટાળો.

• heliyatra.irctc.co.in અરજદારો

હેલિકોપ્ટર મુસાફરી માટે ટિકિટ બુક કરો.

• હેલિકોપ્ટરની ટિકિટ અને ધામમાં દર્શન આપતા અનધિકૃત વ્યક્તિઓને ટાળો.

• ચારધામ યાત્રા એક મુશ્કેલ યાત્રા છે, તેથી પગપાળા પર્વત પર ચઢતી વખતે, સામાન્ય ગતિ જાળવી રાખો અને ધીમેથી આગળ વધો.

• ચડતી વખતે હંમેશાં નાક દ્વારા ઊંડા શ્વાસ લો. તે ફેફસાંને વધુ ઓક્સિજન આપશે અને થાકને અટકાવશે.

• મુસાફરી દરમિયાન, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કોલ્ડડ્રિંક્સ, કોફી, સિગારેટથી સંપૂર્ણપણે દૂર રહો. ઉપરાંત, વધુ પડતો તળેલો, શેકેલો અને મસાલેદાર ખોરાક ન ખાઓ.

• ચઢાણ દરમિયાન દર કલાકે 5 થી 10 મિનિટનો બ્રેક લો

*55 વર્ષથી વધુ ઉંમરના લોકો, હૃદયરોગ, અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ અને આરોગ્ય તપાસ વિના ન જવું.

( ચારધામ યાત્રા સમાપન જય કેદાર )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com