UPના બાગપતમાં દુર્ઘટના, ૭ના મોતઃ ૮૦ ઘાયલ

Spread the love

નિર્વાણ મહોત્સવમાં ૬૫ ફૂટ ઊંચું સ્ટેજ ધરાશાયી થતા અફરા-તફરી; અનેક લોકોને હોસ્પિટલ ખસેડાયા

ઉત્તરપ્રદેશ

યુપીના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ૬૫ ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૮૦થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. ૭ના મોત થયા છે.પણાની હાલત નાજુક છે. તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકો લોહીથી લથપથ ભક્તોને પેંડલ રીક્ષામાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. નિર્વાણ મહોત્સવમાં સવારે ૭થી ૮ વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. તહેવાર દરમિયાન ભગવાન આદિનાથને લાડુ (પ્રસાદ) અર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આયોજકોએ લાકડાના ૬૫ ઊંચા સ્ટેજ બનાવ્યા હતા. ઉપર ભગવાનની ૪-૫ ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી. ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલખની સીડીઓ ચઢી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાને કારણે આખો પાલખ તુટીને નીચે પડ્યો હતો. આ દુર્ઘટના બાગપત્ત શહેરથી ૨૦ કિલોમીટર દૂર બરીતમાં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *