ખરાબ હવામાનને કારણે શુક્લાની અવકાશ યાત્રા બુધવાર સુધી મુલતવી

Spread the love

 

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જઇ રહેલું એક્સિઓમ સ્પેસનું મિશન ફ્લોરિડાના સ્પેસપોર્ટ પર પ્રતિકૂળ હવામાનને કારણે બુધવાર સાંજ સુધી પ્રસ્થાન માટે મુલતવી રાખવામાં આવ્યું છે, એમ ઇસરોના ચેરમેન વી નારાયણને સોમવારે માહિતી આપતાં જણાવ્યું હતું.
ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે 11મી જૂને ઇતિહાસ રચાશે. 41 વર્ષ પછી કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં જશે. ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય અંતરિક્ષ યાત્રી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવાનો છે. ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાયલટ શુભાંશુ શુક્લા 15 વર્ષ સુધી કોમ્બેટ પાયલટ રહી ચુક્યાં છે.તેઓ ઐતિહાસિક અંતરિક્ષ મિશન-એક્સીઓમ-4 પર જઈ રહ્યા છે.
એક્સીઓમ સ્પેસ અંતર્ગત લોન્ચ આ મિશનને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ખાનગી અંતરિક્ષ ઉડાણ હશે, જે 10મી જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સી213 યાન દ્વારા લોન્ચ થશે. એક્સીઓમ-4ના ક્રૂ 11મી જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અંતરિક્ષ યાન પર સવાર થઈને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઈએસએસ) માટે રવાના થશે. આ મિશન ક્રૂના ચારેય સભ્યો આઈએસએસ પર 14 દિવસ રહેશે અને એ 60 પ્રયોગો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *