માણસાના દેલવાડમાં તસ્કરોનો હાથફેરો:પરિવાર ઓસરીમાં સૂતો હતો ત્યારે તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના લઇ રફૂચક્કર

Spread the love

 

માણસા તાલુકાના દેલવાડ ગામના ચકલીવાળા વાસમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરેશજી ઠાકોરના ઘરમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન પ્રવેશ કર્યો હતો. 6 જુલાઈની રાત્રે પરિવારના સભ્યો ઘરની ઓસરીમાં સૂતા હતા. સુરેશજીના માતા-પિતા બાજુના મકાનમાં હતા. સવારે 6 વાગ્યે જાગ્યા ત્યારે ઘરના દરવાજાના સ્ટોપર પર કેબલ વીંટાયેલો જોવા મળ્યો હતો. ઘરમાં પ્રવેશતા બે લોખંડની તિજોરીઓ તૂટેલી અને ખુલ્લી હાલતમાં મળી આવી હતી. રૂમમાં સામાન વેરવિખેર પડેલો હતો. તસ્કરો તિજોરીમાંથી કુલ 3.30 લાખની કિંમતના દાગીના ચોરી ગયા છે. ચોરાયેલા દાગીનામાં બે સોનાના લોકેટ જેની કિંમત 80,000 રૂપિયા છે. ત્રણ સોનાની ચેઇન જેની કિંમત 2,10,000 રૂપિયા છે. એક જોડ ચાંદીની પગની ઝાંઝર જેની કિંમત 20,000 રૂપિયા છે. એક જોડ સોનાની બુટ્ટી જેની કિંમત 20,000 રૂપિયા છે. માણસા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *