સ્થાનિકોમાં નારાજગી : પીંપળજ ગામના માર્ગો અતિશય બિસમાર હાલતમાં, ગ્રામજનોને ભંગાર માર્ગથી હાલાકી

Spread the love

પીંપળજ

છેલ્લા બાર માસથી પીંપળજ ગામના માર્ગમાં ખાડાઓએ સામ્રાજ્ય સ્થાપતા ગ્રામજનોને રોડ ઉપર વાહન ચલાવીએ છીએ ખાડામાં તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે પીંપળજ ગામના રોડનું પેવરકામ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માગણી ઉઠી રહી છે. ઉબડખાબડ બનેલા માર્ગને પગલે ગ્રામજનોને પોતાના વાહનો લઇને પસાર થતાં કમરના મણકાના દુ:ખાવો ઉપડે તેવી સ્થિતિ બની જવા પામી છે. ત્યારે પીપળજ ગામના રોડનું પેવર કામ કરવામાં આવે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની હદથી માંડ 5 કિમી દૂર આવેલા પીપળજ ગામના રોડની હાલત ભંગાર બની જવાથી ગ્રામજનો પોતાના વાહનોને રોડ ઉપર હંકારે છે કે પછી ખાડામાં હંકારી રહ્યા છે તેની મુંઝવણ અનુભવી રહ્યા છે. ગામના માર્ગ ઉપર નાના મોટા એટલા ખાડા પડી ગયા છે કે વાહન લઇને પસાર થતાં ગ્રામજનોને કમરના મણકાના દુખાવા થવાના કિસ્સા બની રહ્યા હોવાનું ગ્રામજનોએ મોબાઇલ ઉપર જણાવ્યું છે. ગામના કમર તોડ રોડને કારણે હોસ્પિટલ માટે લઇ જતા દર્દીઓ કે સગર્ભા મહિલાને લઇ જતા તેમની તબિયત વધારે બગડે તેવી સ્થિતિ બની જવાની શક્યતા રહેલી છે. ત્યારે સમગ્ર રાજ્યનું જ્યાંથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેવા ગાંધીનગરથી માંડ પાંચ કિમીના દુરના અંતરે આવેલા પીપળજ ગામના રોડની આવી હાલત હોય તો પછી અન્ય ગામોની હાલત વિશે પૂછવું જ શું રહ્યું તેવા સૂર ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. જોકે હાલમાં ચોમાસાની ઋતુ હોવાથી પીંપળજ ગામના માર્ગનું પેવેર કામ કરવું શક્ય નથી. પરંતુ રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓમાં પુરાણ કરીને રોડને સરખો બનાવવામાં આવે તેવી માગણી ગ્રામજનો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *