NATOની ભારત પર 100% ટેરિફ લગાવવાની ધમકી

Spread the love

 

 

NATOના મહાસચિવ માર્ક રુટે બુધવારે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, તમારે સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. હું આ ત્રણેય દેશના નેતાઓને અપીલ કરું છું કે તેઓ પુતિન સાથે ફોન પર વાત કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે કહે. રુટેએ ત્રણેય દેશો પર સેકન્ડરી પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું હતું કે જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો આ દેશો પર 100% સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવશે. રશિયાના નાયબ વિદેશમંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી.
રશિયાના નાયબ વિદેશ મંત્રીએ એ પણ કહ્યું,”તેમણે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટિમેટમ સ્વીકાર્ય નથી”. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે. રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટીમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રુટ શોધશે. નાટો સેક્રેટરી જનરલ તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવા હથિયારો પૂરા પાડવાની અને રશિયાના વેપાર ભાગીદારો પર ભારે ટેક્સ લાદવાની જાહેરાત કરી છે.
અમેરિકા હવે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ જેવા આધુનિક હથિયારો આપવા જઈ રહ્યું છે જેથી તે રશિયન હુમલાઓથી પોતાનું રક્ષણ કરી શકે. ટ્રમ્પે સોમવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ કરવા માટે ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે હું ઘણી બાબતો માટે વેપારનો ઉપયોગ કરું છું, પરંતુ એ યુદ્ધ બંધ કરવા માટે ખૂબ જ સારું છે. ટ્રમ્પે કહ્યું હતું કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 50 દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો એના પર 100% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ‘સેકન્ડરી ટેરિફ’ હશે, જેનો અર્થ એ છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો, જેમ કે ભારત અને ચીન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને એની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી છે. જો સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવે તો એની ભારત પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *