મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ, DEO દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં સ્કૂલમાં ગંભીર ખામીઓ સામે આવી

Spread the love

 

 

 

અમદાવાદના મણિનગરની એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે DEO દ્વારા શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. DEO કચેરી દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં શાળામાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી. આ ખામીઓને કારણે શાળાની માન્યતા રદ કરવાની રજૂઆ કરવામાં આવી છે.

સ્કૂલની માન્યતા રદ કરવા પાછળના કારણોઃ
ગેરકાયદેસર ક્લાસ: વેકેશન દરમિયાન શાળામાં JEE અને NEETના ક્લાસ ચલાવવામાં આવતા હતા, જેની મંજૂરી નહોતી.
ખામીયુક્ત લેબ: શાળાની કેમેસ્ટ્રી લેબ ભયજનક સ્થિતિમાં હોવાનું નિરીક્ષણ દરમિયાન સામે આવ્યું હતું.
ખોટું મેદાન: શાળાએ મંજૂરી વખતે જે મેદાન દર્શાવ્યું હતું તે પાછળથી બદલી નાખવામાં આવ્યું હતું. હાલમાં જે મેદાન દર્શાવવામાં આવ્યું છે તે શાળા સાથે જોડાયેલું નથી.
ખુલાસો આપવામાં નિષ્ફળતા: આ તમામ મુદ્દાઓ પર શાળા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ શાળાએ કોઈ સંતોષકારક જવાબ રજૂ કર્યો ન હતો.
આ ગંભીર ખામીઓને કારણે DEO કચેરી દ્વારા એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે. હવે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *