અમદાવાદ
“સ્વજન” સંસ્થાના સંસ્થાપક શ્રી અમર પંડિત દ્વારા વિવિધ શારીરિક તેમજ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેમના વાલીઓને વુલન શોલ, વુલન સ્કાર્ફ અને વુલન કેપનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના સ્વાસ્થય માટે વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો. આ પ્રકારના સત્કાર્યો છેલ્લા 25 વર્ષથી “સ્વજન” સંસ્થાના સ્થાપક દ્વારા કરવામાં આવે છે અને સમાજ ના તમામ વર્ગે તેમના આ નિખાલસ પ્રયત્ન માટે બિરદાવ્યા છે.
