લેન્સકાર્ટની હિન્દુ વિરોધી કટ્ટર પોલિસી પર લોકો થયા ગુસ્સે, કંપનીમાંથી કોઈ વસ્તુ ખરીદશું નહી

Spread the love

નાસિકમાં ટીસીએસ કંપનીમાં ચાલી રહેલા કોર્પોરેટ જિહાદ મામલા બાદ વધુ એક કંપનીની પોલિસી પર ધમાલ મચી છે. દેશની જાણીતી આઈવેયર કંપની લેન્સકાર્ટ પોતાના કર્મચારીઓ માટે એક નવો ડ્રેસ કોર્ડ લાવી છે. જેને લઈ વિવાદ સામે આવ્યો છે. કંપની પર આરોપ છે કે, તેમણે હિંદુ ધર્મના પારંપારિક પ્રતિકો જેમ કે ચાંદલો, સિંદુર અને હાથમાં પહેરાતા ધાર્મિક દોરા (કલાવા) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.જ્યારે હિઝાબ પહેરવાની પરવાનગી છે.

શું છે લેન્સકાર્ટનો નવો નિયમ?

 

સોશિયલ મીડિયા પર લેન્સકાર્ટની જે ગાઈડલાઈન્સ વાયરલ થઈ રહી છે. તેના મુજબ મહિલા અને પુરુષ કર્મચારીઓ માટે એક સખ્ત ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.તેમાંથી વધારે ધ્યાન ખેંચવાની વાત મહિલાને ચાંદલો લગાવવો નહી. જો કોઈ સિંદુર લગાવે છે તો ખુબ ઓછો હોવો જોઈએ. માથા પર દેખાવવો જોઈએ નહી, આટલું જ નહી. હાથમાં બાંધેલા ધાર્મિક દોરાને દુર કરવાનો આદેશ આપ્યો છે.

હિજાબને લીલી ઝંડી મળી

 

બીજી બાજુ જો કોઈ કર્મચારી હિજાબ કે પાખડી પહેરે છે. તો તેનો રંગ કાળો હોવો જોઈએ. આ સાથે સોનાની બુટી,ઈયરિગ્સ અને થળી પહેરવા પર પ્રતિબંધ છે.જેવી રીતે આ નિયમ સામે આવ્યા સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા છે. યુઝર્સ લેન્સકાર્ટ પર હિંદુ મહિલાઓની ધાર્મિક ઓળખને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જે કંપનીને હિજાબ પહેરવાની પરવાનગી આપવામાં કોઈ મુશ્કેલી નથી. તો ચાંલ્લો અને ધાર્મિક દોરાથી શું એલર્જી છે.

એક યુઝરે કહ્યું લેન્સકાર્ટમાં કામ કરતા તમે સિંદુર,ચાંલ્લો કે કલાવા પહેરી શકશો નહી પરંતુ હિજાબ પહેરી શકો છો. આ હિંદુ મહિલાઓની ઓળખ દૂર કરવાનો પ્રયત્ન છે.કોઈ કહ્યું કે, આ કોણ લોકો છે. જે આવા કાનુન બનાવી રહ્યા છે. હવે લેન્સકાર્ટના મેનેજમેન્ટને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. હું હવે તેમની પાસેથી કંઈપણ ખરીદીશ નહીં અને મારા મિત્રો અને સંબંધીઓને પણ આ કંપનીમાંથી કાંઈ ખરીદે નહી તેવું કહીશ.

એક યુઝરે સલાહ આપી, “બધા હિન્દુ પુરુષો અને સ્ત્રીઓ ધ્યાન આપો, તમે ગમે ત્યાં રહો, તમારી સંસ્કૃતિ અને ધાર્મિક રિવાજોથી દૂર ન જાઓ. ધર્મનિરપેક્ષતાના નામે તમારી ઓળખ ન છોડો.”

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *